દેશભરમાં નાતાલ પર્વની ગઇકાલે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ચર્ચો અને કેથોલીક સ્કુલોમાં નાતાલ પર્વની ઉજવણી થઇ હતી અને ચર્ચો તેમજ શાળાઓ પર રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે, ત્યારે જામનગરમાં એકમાત્ર કેથોલીક ચર્ચમાં ૨૪ ડીસેમ્બર રાત્રે ૧૨ વાગ્યે ઇસુખ્રિસ્તના જન્મના વધામણા કરવામાં આવ્યા હતાં.
બહોળી સંખ્યામાં કેથોલીક પરીવાર ઉમટી પડયું હતું, તદુપરાંત શહેરની સેન્ટ ઝેવીયર્સ તેમજ સેન્ટ મેરી, સેન્ટ ગ્રેગોરીયસ અને સેન્ટઆન્સ શાળાઓમાં ક્રિસમસની ઉજવણી કરાઇ હતી જેમાં શાળાઓ પર રોશનીનો ઝગમગાટ સહીત ઇશુખ્રિસ્તના જન્મની ઝાંખીઓ દર્શાવવામાં આવી હતી, તદુપરાંત શહેરના કેટલાક વેપારીઓ દ્વારા શોરૂમની બહાર પણ બાળકોને રીઝવવા માટે સાન્તાનું વેશ ધારણ કરીને બાળકોને ગીફટ આપવામાં આવી હતી તેમજ શહેરના અન્ય ચર્ચમાં પણ નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસવા લાખ તો આપવા જ પડે, ઓછું કંઇ નહીં...રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો વીડિયો વાયરલ
March 13, 2026 03:52 PMગૃહ મંત્રીને ધમકી આપનાર અને મિત્રના ઘરે ચોરી કરનાર આસિફ હૈદરાબાદથી ઝડપાયો, કાયદાનું ભાન કરાવાયું
March 13, 2026 03:51 PMરાજકોટવાસીઓને રાહત... બપોરે 1થી 4 વાગ્યા સુધી શહેરમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા મનપાનો નિર્ણય
March 13, 2026 03:21 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
