સુપ્રીમમાં ડુંગળી-લસણને તામસિક માનવાની અરજી: સીજેઆઈએ પૂછ્યું- અડધી રાત્રે પિટિશન કરો છો?

  • March 10, 2026 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટમાં એક વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું કે ડુંગળી અને લસણમાં તામસિક કે નકારાત્મક ઊર્જા હોય છે કે નહીં તે માટે સંશોધનની માગ કરવામાં આવી હતી. તેના પર સોમવારે સુનાવણી કરતા ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે એડવોકેટ સચિન ગુપ્તાને ઠપકો આપ્યો. સીજેઆઈએ પૂછ્યું- અડધી રાત્રે આ બધી અરજીઓ ડ્રાફ્ટ કરો છો કે શું?

સીજેઆઈ અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે વકીલની પાંચેય પીઆઈએલને અસ્પષ્ટ, ફાલતુ અને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી. અરજદારે જવાબ આપ્યો કે આ એક સામાન્ય મુદ્દો છે અને દાવો કર્યો કે ગુજરાતમાં ભોજનમાં ડુંગળીના ઉપયોગને લઈને કથિત રીતે એક છૂટાછેડા થયા હતા.

ડુંગળી અને લસણ સંબંધિત અરજીમાં જૈન સમુદાયની ખાણી-પીણીની રીતોનો ઉલ્લેખ હતો, જેઓ પરંપરાગત રીતે ડુંગળી, લસણ અને કંદમૂળ શાકભાજીને તામસિક ભોજન માનીને તેનાથી દૂર રહે છે.સીજેઆઈએ ગુપ્તાને પૂછ્યું, તમે જૈન સમુદાયની ભાવનાઓને ઠેસ કેમ પહોંચાડવા માંગો છો? બેન્ચે કહ્યું- જો તમે વકીલ ન હોત તો દંડ લગાવત

બેન્ચે અરજી ફગાવતા કહ્યું કે જો અરજદાર વકીલ ન હોત તો અમે ખૂબ મોટો દંડ લગાવીને તેને ફગાવી દેત. બેન્ચે વધુમાં કહ્યું કે આ અરજી કેઝ્યુઅલ ડ્રાફ્ટિંગ અને સુપ્રીમ કોર્ટ પર બોજ નાખવાનું એક ઉદાહરણ છે. ગુપ્તાને ચેતવણી આપવામાં આવી હતી કે આગલી વખતે જ્યારે તમે આવી અરજી દાખલ કરશો, ત્યારે ખૂબ જ મોટો દંડ લાદવામાં આવશે. એડવોકેટ સચિન ગુપ્તાની આ અરજીઓ પણ ફગાવી દેવામાં આવી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application