બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે, યુનુસ સરકાર ક્ધટ્રોલ કરી શકવામાં નિષ્ફળ ગઇ છે, જયારથી શેખ હસીના દેશ છોડીને ભાગ્યા છે અને ભારતમાં શરણ લીધી છે ત્યારથી બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ છે.
દરમ્યાનમાં ફરી ફાંટી નિકળેલી હિંસામાં એક હિન્દુ યુવાનની ઘાતકી રીતે હત્યા કરવામાં આવતા ભારતમાં ઉગ્ર વિરોધ ઉઠયો છે, બાંગ્લાદેશના લઘુમતી એટલે કે હિન્દુઓની સુરક્ષાને લઇને વિશ્ર્વ હિન્દુ પરીષદ દ્વારા જામનગરમાં ગઇ સાંજે લાલબંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશના ઝંડાને પગ નીચે કચડીને આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો, અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અને દેશના વિવિધ ભાગોમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા જુલ્મ સામે વિરોધ ઉઠયો છે અને યુનુસ સરકાર સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઇ છે, જો કે બાંગ્લાદેશ સરકારે પોતાના અલ્પસંખ્યકોને પુરી સુરક્ષા આપવાની વાતો કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસવા લાખ તો આપવા જ પડે, ઓછું કંઇ નહીં...રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો વીડિયો વાયરલ
March 13, 2026 03:52 PMગૃહ મંત્રીને ધમકી આપનાર અને મિત્રના ઘરે ચોરી કરનાર આસિફ હૈદરાબાદથી ઝડપાયો, કાયદાનું ભાન કરાવાયું
March 13, 2026 03:51 PMરાજકોટવાસીઓને રાહત... બપોરે 1થી 4 વાગ્યા સુધી શહેરમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા મનપાનો નિર્ણય
March 13, 2026 03:21 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
