બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા સામે જામનગરમાં વીએચપીનો ઉગ્ર વિરોધ

  • December 24, 2025 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે, યુનુસ સરકાર ક્ધટ્રોલ કરી શકવામાં નિષ્ફળ ગઇ છે, જયારથી શેખ હસીના દેશ છોડીને ભાગ્યા છે અને ભારતમાં શરણ લીધી છે ત્યારથી બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ છે.



દરમ્યાનમાં ફરી ફાંટી નિકળેલી હિંસામાં એક હિન્દુ યુવાનની ઘાતકી રીતે હત્યા કરવામાં આવતા ભારતમાં ઉગ્ર વિરોધ ઉઠયો છે, બાંગ્લાદેશના લઘુમતી એટલે કે હિન્દુઓની સુરક્ષાને લઇને વિશ્ર્વ હિન્દુ પરીષદ દ્વારા જામનગરમાં ગઇ સાંજે લાલબંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

​​​​​​​

 બાંગ્લાદેશના ઝંડાને પગ નીચે કચડીને આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો, અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અને દેશના વિવિધ ભાગોમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા જુલ્મ સામે વિરોધ ઉઠયો છે અને યુનુસ સરકાર સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઇ છે, જો કે બાંગ્લાદેશ સરકારે પોતાના અલ્પસંખ્યકોને પુરી સુરક્ષા આપવાની વાતો કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application