‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા અને મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપવા ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળા - ૨૦૨૫'નું આયોજન
તા.૨૨ થી તા.૨૪ ડિસેમ્બર સુધી યોજાનાર મેળાને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ખુલ્લો મુકાશે
મેળાનું મુખ્ય આકર્ષણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત હેન્ડીક્રાફ્ટ, હેન્ડલુમ, ફૂડ પ્રોડક્ટ, ઓર્ગેનિક અને હર્બલ વસ્તુઓ, જામનગરની પ્રખ્યાત બાંધણી, ઇમીટેશન જ્વેલરી, આયુર્વેદિક પ્રોડક્ટ્સ, અગરબત્તી, પેચવર્ક, ડ્રેસ મટિરિયલ તથા ઘર સુશોભનની અવનવી ચીજવસ્તુઓ રહેશે.
આ ઉપરાંત, સ્વાદપ્રિય જનતા માટે અથાણા, પાપડ અને ખાખરા જેવી હાથબનાવટની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ મેળો આર્થિક ભાગીદારીને વેગ આપશે અને અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે, તો નગરજનોને આ મેળાની મુલાકાત લેવા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMસવા લાખ તો આપવા જ પડે, ઓછું કંઇ નહીં...રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો વીડિયો વાયરલ
March 13, 2026 03:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
