આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, પર્યાવરણ જાગૃતિ માટે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓની ભૂમિકા અગત્યની રહેશે. ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ સમસ્યાઓનો સામનો કરવા માટે મિશન લાઇવ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાય છે તે સરાહનીય છે.
આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી મુળુભાઇ બેરાએ મિશન લાઇવ અંગે વાત કરીને પર્યાવરણ જતન માટે જીવનશૈલીમાં પરિવર્તનની અગત્યતા વિશે વાત કરી બાળકોને સંદેશ આપ્યો હતો.
ઉપરાંત, જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના એ બાળકો સાથે સીધો સંવાદ કરીને પ્લાસ્ટિક વપરાશ ઘટાડવા અંગે સમજ આપી હતી.
ગુજરાત સરકારના કલાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા કલાઈમેટ ચેન્જની અસર ઘટાડા માટે પગલા અને મિશન લાઈફ (LIFE) ની પ્રવૃત્તીના પ્રચાર -પ્રસાર માટે તેમજ લોકોમાં પર્યાવરણ અનુકુળ ટેવો અને પ્રથાઓ અપનાવવા માટે જાગૃતિ ફેલાવા અર્થે આ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં ધોરણ-૬ થી ૮ના વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે પ્લાસ્ટીકની બોટલોનો ઉપયોગ બંધ થાય અને તેની જગ્યાએ સ્ટીલની પાણીની બોટલનો ઉપયોગ શરૂ થાય તે માટે કાર્યક્રમમાં સ્ટીલની પાણીની બોટલોનુ વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. વધુમાં પર્યાવરણ અનુકૂળ ટેવો માટે બાળકોમા અવેરનેસ ફેલાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભાડૂઆતો માટે મહત્વપૂર્ણ સમાચાર! આવું નહીં કરો તો 1,00,000નો ભારે દંડ થઈ શકે છે
March 09, 2026 05:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
