આજના સમયમાં ખેતી સાથે પશુપાલન ખેડૂતો માટે આવકનું મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયું છે. દૂધ, માંસ, ઊન, ખાતર અને કાર્યશક્તિ રૂપે પશુઓ ખેડૂતોને અપરિમિત લાભ આપે છે. પરંતુ પશુપાલનમાં આર્થિક સફળતા ત્યારે જ મળે છે જ્યારે પશુને યોગ્ય રહેઠાણ અને વૈજ્ઞાનિક માવજત મળતી રહે.
પશુ રહેઠાણ:-
પશુ રહેઠાણ એવું હોવું જોઈએ કે જ્યાં પશુને વરસાદ, ઠંડી, ઉકળાટ અને પવનથી રક્ષણ મળે. ખૂલ્લી, હવાની અવરજવર ધરાવતી અને પ્રકાશ પૂરતો આવતો શેડ સૌથી વધારે લાભદાયી છે.
પશુ રહેઠાણમાં ધ્યાન આપવાની બાબતો:
શેડ સુકું અને સ્વચ્છ હોવો જોઈએ, જમીન ઢાળવાળી રાખવી જેથી પાણી ભેગું ન થાય,મચ્છર, માખી તથા જંતુ નિયંત્રણ પર ખાસ ધ્યાન રાખવું, ગાય–ભેંસ માટે અલગ અને વાછરડા માટે સુરક્ષિત જગ્યા હોવી જોઈએ, અયોગ્ય રહેઠાણને કારણે ખુર રોગ, ચામડીના રોગ, શ્વસન રોગ અને બેક્ટેરિયલ ચેપ ઝડપથી ફેલાય છે. તેથી રહેઠાણની ગુણવત્તા સીધી રીતે પશુના આરોગ્યનો આધાર બને છે.
પશુ માવજત: પશુ માવજત એટલે માત્ર ખોરાક આપવો નથી, પરંતુ સંપૂર્ણ વૈજ્ઞાનિક મેનેજમેન્ટ છે. જેમાં આહાર, પાણી, આરોગ્ય, સફાઈ, પ્રજનન અને દૈનિક કાળજીનો સમાવેશ થાય છે.
આ બાબતો માત્ર પશુને જ નહીં, પરંતુ આસપાસના માનવી આરોગ્યને પણ સુરક્ષા આપે છે.
ઉપસંહાર
પશુ આપણા ખેતર–ખેડૂત અને અર્થતંત્રની રીડ છે. તેઓને યોગ્ય રહેઠાણ, સ્વચ્છતા અને વૈજ્ઞાનિક માવજત આપવી માત્ર જવાબદારી નથી, પરંતુ ભવિષ્યની આર્થિક પ્રગતિ માટે અનિવાર્ય પગલું છે. જો દરેક પશુપાલક આ બાબતોનું પાલન કરે તો નિશ્ચિતપણે તંદુરસ્ત પશુ, વધુ ઉત્પાદન અને સમૃદ્ધ ખેડૂતવર્ગ દેશના વિકાસમાં મજબૂત યોગદાન આપશે
ડૉ. સોહિલ અબ્બાસ જી. મોમીન , ડૉ.ભાવિનગીરી જી. ગોસ્વામી & ડૉ. મોહમ્મદ શોએબ ખાન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
