જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં પાંચ દિવસ માટે બંધ રહેલા એક મકાનમાંથી તસ્કર દ્વારા રૂ. ૧ લાખ ૩૯ હજારની કિંમતના સોના ચાંદી અને ઇમિટેશનના ઘરેણા તેમજ રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે, અને એક આરોપીને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધો છે.
એલસીબીના પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ .સ્ટાફના એલ.સી.બી.ના પોસઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફને બાતમી મળી હતી કે તા.૨૫/૧૨/૨૦૨૫થી તા.૨૯/૧૨ /૨૦૨૫ દરમ્યાન જામનગર શહેરમા કામદાર કોલોની શેરી નં-૩ રહેતા હીરેનભાઈ કૌશીકભાઇના બંધ મકાનના દરવાજાના તાળા તોડી મકાન અંદર રાખેલ કબાટમાંથી રોકડ, રકમ તથા સોના ચાંદી ના દાગીના અને ઇમિટેશન જ્વેલરી મળી કુલ રૂ. ૧,૩૯ ,૦૦૦ ની ચોરી થઈ હતી.
જે ચોરી કરનાર આરોપી સુનીલભાઇ ઉર્ફે ખાનભાઇ રાજુભાઇ પરમાર ( રહે. સાત રસ્તા સંતોષી માતાજીના મંદિર પાસે જામનગર) હાલ દિગજામ સર્કલ પાસે ઓવર બ્રિજ નીચે ઉભેલ છે. તેવી હકિકત આધારે પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી સોનાના દાગીના( રૂ.૧,૮૯,૦૦૦) ચાંદીના દગીના રૂ.( ૫,૦૦૦), રોકડ રકમ .રૂ. ૧૦,૦૦૦, એક મો.સા કિ.રૂ ૫૦,૦૦૦નું વગેરે કબજે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
