સફરજન, પપૈયું અને જામફળ જેવા ફાઈબરથી ભરપૂર ફળો વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે
આજના સમયમાં વિશ્વમાં 'મેદસ્વિતા'ને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની જેમ માનીને તેનાથી બચવા માટે વિવિધ ઉપાયો કરાઈ રહ્યાં છે. આપણો દેશ પણ આ સમસ્યા સામે લડત આપી રહ્યો છે. મેદસ્વિતાને માત્ર ‘હૃષ્ટપૂષ્ટ' ગણીને અવગણવું જોખમી છે. મેદસ્વિતા મુક્તી એ માત્ર શારીરિક દેખાવ માટે નથી, પરંતુ તે ડાયાબિટીસ, હૃદયરોગ અને બ્લડપ્રેશર જેવા અનેક રોગોનું પ્રવેશદ્વાર હોવાથી માનવના સ્વાસ્થ્યપ્રદ જીવન માટે અનિવાર્ય બની ગઈ છે. મેદસ્વિતા નિયંત્રણ માટે આપણી જીવનશૈલીમાં સ્વાસ્થ્યપ્રદ ફેરફાર લાવવાની અનિવાર્યતા સમજીને ભારત સરકારના 'મેદસ્વિતા મુક્ત ભારત' અભિયાન હેઠળ વિવિધ રીતે મેદસ્વિતામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
સામાન્ય રીતે લોકો માને છે કે વજન ઘટાડવું એટલે કલાકો સુધી માત્ર કસરતો કરીને પરસેવો પાડવો અને ભૂખ્યા રહેવું. પરંતુ વાસ્તવમાં, વજન ઘટાડવું એ ખાસ કરીને આપણે શું ખાઈએ છીએ તેની જાગૃતિ અને પ્રયત્નપુર્વક કેળવેલી આહાર વિહાર અંગેની સ્વસ્થ આદતો છે. આપણી થાળીમાંથી તળેલ ભોજનો, ખાંડની મીઠાઈની જગ્યાએ 'ફ્રૂટ અને વેજીટેબલ'ને સ્થાન આપવું એ આ દિશામાં પહેલું કદમ છે. આ સાથે સાથે ચા કે કોફીમાં પણ ક્રમશ: ઓછી ખાંડ વાપરવાની ટેવ પાડવી જોઈએ. વધુ પ્રોસેસ્ડ ખાંડવાળા સોડા અને શરબત જેવા પીણાં બને ત્યાં સુધી ન પીને, મીઠાઈ ઓછી માત્રામાં ખાઈને પણ આહારમાં વધુપડતી ખાંડ નિયંત્રિત કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
