જામનગરના રણજીતનગર ખાતે આવેલા લેઉવા પટેલ સેવા સમાજ ખાતે આવતીકાલે રવિવારે સાંજે ચાર વાગ્યે જ્ઞાતિ સમુહભોજનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
અંદાજે સવા અગિયાર વિઘા જમીન પર ઓછામાં ઓછા 50,000 હજાર જ્ઞાતિજનો સમુહ ભોજનનો આનંદ માણશે.
આ માટે ભવ્ય અને વિશાળ મંડપની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેવાના હોય, છેલ્લા 36 કલાકથી ભોજન સામગ્રીઓના નિર્માણ માટે રસોડા વિભાગમાં અંદાજે 110થી વધુ રસોયાની ટીમ અને સ્વયંસેવકો ભોજન માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
જેમાં લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને સમાજના હોદ્દેદારો તેમજ કારોબારી સમિતિના સભ્યો અને કાર્યકર્તા સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
