મકરસંક્રાંતિના પાવન પર્વ પર સમૂહભોજન અને રક્તદાન કેમ્પ સાથે 'આશરાનો ધર્મ આહીર' ઐતિહાસિક નાટકની પ્રસ્તુતિ સહિતના ક્રાયકમો ઉજવાશે
જામનગર આહીર સમાજ, અને આહીર યુવા ગુપ દ્વારા આગામી તા. ૧૪-૧-૨૦૨૬ ને બુધવાર, મકરસંક્રાંતિના પાવન પર્વ પર સમૂહભોજન અને રક્તદાન કેમ્પ સાથે આશરા ધર્મની ઐતિહાસિક ગૌરવવંતી જીવનગાથા આધારિત સિનેમેટિક મેગા નાટક 'આશરાનો ધર્મ આહીર' નાટક પ્રસ્તુત કરવા સહિતના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના ખૂણે ખૂણે વસતા આહિર સમાજના લોકો સહભાગી થશે. આ માટેની તડામાર તૈયારી ચાલી રહી છે અને યુવા ગ્રુપ અને સમાજના અગ્રણીઓ દ્વારા ઝોન વાઇઝ આમંત્રણ પણ અપાઈ ચૂક્યા છે.
સૌથી મોટી વાત એ છે કે આ કાર્યક્રમ સમાજ અને રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ બને તેવા લક્ષ્ય સાથે “આહીર વીર દેવાયત બોદર" ના આશરા ધર્મની ઐતિહાસિક ગૌરવવંતી જીવનગાથા આધારિત સિનેમેટિક મેગા નાટક "આશરાનો ધર્મ આહીર" નો પણ રાત્રે ૯.૦૦ કલાકે યોજાશે. માલદેભાઈ આહીર, કસુંબલ કલાવૃંદ - ઉપલેટા દ્વારા જામનગરની ધરતી પર પ્રથમ વખત આ નાટકની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે.
જામનગરના ઓશવાળ - ૨, મેઈન રોડ, આહીર સમાજ અને શ્રીજી હોલ વચ્ચે, કોર્પોરેશનની જગ્યામા આયોજિત આ કાર્યક્રમને લઈ જામનગરમાં જુદા જુદા ૪ ઝોન પાડી આમંત્રણ અંગેની મિટીંગો કરવામાં આવી હતી. અંદાજે શહેરભરમાં ૧૬ જેટલી મિટીંગો યોજી કાર્યક્રમને દીપાવવા માટે સમસ્ત આહીર જ્ઞાતિજનોએ જામનગર આહીર સમાજના પ્રમુખ રણમલભાઈ કાંબરિયા, આહીર યુવા ગ્રુપ જામનગરના પ્રમુખ સંજયભાઈ કાંબરિયા, સુરેશભાઈ વસરા, મહેશભાઈ નંદાણીયા, વિજય ભાઈ ધ્રાંગુ, શૈલેષભાઈ ગોજીયા, કુંભનભાઇ ગાગલિયા, પ્રવિણભાઇ ભારવડીયા, હેમંતભાઈ જોગલ, ગોવિંદભાઈ કોટા, કારૂભાઈ પાઉ, પરબતભાઇ માડમ, હિરેનભાઇ માડમ, જીગરભાઈ માડમ, સામતભાઇ જોગલ, ધર્મેન્દ્ર ભાઈ આંબલિયા, નરેશભાઈ કરમૂર, ભાવેશભાઈ ગાગીયા, કિશોરભાઈ રાવલિયા, સોલંકી સાહેબ, કરશનભાઇ ડેર સહિતના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય માણસનો ભરોસો યથાવત: ફેબ્રુઆરીમાં ઈક્વિટી રોકાણ 8% વધ્યું
March 10, 2026 05:56 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
