જામનગર સિંધી સમાજના યુવાનો દ્વારા 'પ્રકાશના પર્વ'ની અનોખી ઉજવણી : સમગ્ર શહેર ની ઝૂંપડપટ્ટીના ભૂલકાઓના ચહેરા પર લહેરાવી સ્મિતની રોશની!..
જામનગર: દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર સિંધી સમાજના સેવાભાવી નવયુવાનો દ્વારા પ્રકાશ નું પર્વ દીપોત્સવ દિવાળી અને નૂતનવર્ષના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી છે. શહેરમાં રહેતા અનેક જરૂરિયાત મંદ વંચિત પરિવારોના માસૂમ ભૂલકાઓના જીવનમાં દિવાળીનો સાચો આનંદ લાવવાના ઉમદા હેતુથી યુવાનોની ટીમે શહેરના છેવાડા સુધીના તમામ ઝૂંપડપટ્ટી વિસ્તારો તેમજ ખુલ્લામાં અને ફૂટપાથ પર જીવન ગુજારતા પરિવારો સુધી પહોંચીને તેમની સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
મીઠાઈ, ફૂડ પેકેટ અને ફટાકડા આપીને ઉજવાયો ઉત્સવ
સિંધી સમાજના આ યુવાનોએ માત્ર પરંપરા નહીં, પરંતુ લાગણી અને સેવાભાવ સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. યુવાનોએ આ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને મીઠાઈ, ફૂડ પેકેટ તેમજ ફટાકડા આપીને તેમની દિવાળીની ખુશીને બેવડાવી દીધી હતી.
જ્યારે ઝૂંપડપટ્ટીના માસૂમ ભૂલકાઓને મીઠાઈ અને નવા ફટાકડા મળ્યા, ત્યારે તેમના ચહેરા પર જે નિર્દોષ સ્મિત જોવા મળ્યું, તે જ આ સેવાકાર્યની સૌથી મોટી સફળતા હતી. યુવાનોએ આ બાળકો સાથે થોડો સમય વિતાવીને તેમના જીવનમાં પ્રેમ અને હૂંફનો સ્પર્શ આપ્યો હતો, જે દિવાળીના સાચા અર્થને સાર્થક કરે છે.
સેવાભાવની પેરવી : યુવાનોએ પ્રેરણા પૂરી પાડી
આ કાર્યક્રમ માત્ર વસ્તુઓનું વિતરણ નહોતો, પરંતુ તે માનવતા અને સામાજિક જવાબદારીનો ઉત્તમ દાખલો છે. સિંધી સમાજના આ નવયુવાનોએ સમાજને સંદેશ આપ્યો છે કે તહેવારોની સાચી ઉજવણી ત્યારે જ થાય છે, જ્યારે આપણે જરૂરિયાત મંદ વંચિત રહેલા લોકોને પણ ખુશીમાં સામેલ કરીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
