કુપોષણના મામલે જીેશ મેવાણી મનીષા વકીલ વચ્ચે શાબ્દિક જંગ
કુપોષણના મામલે જીેશ મેવાણી મનીષા વકીલ વચ્ચે શાબ્દિક જંગ
March 14, 2026 02:55 PM
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન વિધાનસભામાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગને લગતા પ્રશ્ન દરમિયાન કુપોષણ અને વિધવા ને અપાતી સહાયના મામલે રાય સરકાર દ્રારા કુપોષણ ઘટાડાના સરકારના દાવા વચ્ચે મહિલા બાળ કલ્યાણમંત્રી ડોકટર મનીષા વકીલ અને જીેશ મેવાણી વચ્ચે ગૃહમાં શાબ્દિક જગં જામ્યો હતો. પોષણના મામલે વિભાગના મંત્રી મનિષા વકીલે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાયની કુપોષણ મુકત બનાવવા રાય સરકાર દ્રારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના પરિણામે ધીમે ધીમે કુપોષણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે આહાર પદ્ધતિમાં આવેલા બદલાવ અને કેટલીક સ્થાનિક પરિસ્થિતિના કારણે કેટલાક વિસ્તારોમાં હજુ કુપોષણ જોવા મળી રહ્યું છે. આ મુદ્દે ધારાસભ્ય જીેશ મેવાણીએ ગ્રુપમાં મંત્રીને કેરીયા હતા મેવાણી અને મંત્રી મનિષા વકીલ વચ્ચે આંકડાઓ લઈને સામસામાંતર જોવા મળ્યા હતા મંત્રીએ આંકડાઓ અંગે સ્પષ્ટ્રતા કરવી અઘરી પડું હોવાનો માહોલ ઊભો થયો હતો. દરમિયાન મંત્રીએ સરકાર તરફથી જણાવ્યું હતું કે રાયની આંગણવાડીમાં બાળકોને ૪૫ પૂરક પોષક આહાર આપવામાં આવે છે ઉપરાંત આરોગ્ય વિભાગ દ્રારા ગંભીર કુપોષિત બાળકો માટે ખાસ પોષણ સહાય અને આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે
પ્રશ્ન પૂછયા પછી ધારાસભ્યો ગેરહાજર રહેતા અધ્યક્ષ અકડાયા ગુજરાત વિધાનસભા દરમિયાન ધારાસભ્ય ગૃહમાં ગેરહાજર રહેતા હોવાની ગંભીર નોંધ લીધી હતી. અધ્યક્ષ એ પ્રશ્ન પૂછનાર ધારાસભ્ય ગૃહમાં ગેરહાજર રહેતા હોવાની બાબત સામે આવતા તેમણે પક્ષના દંડક ને વિનંતી કરી હતી કે પ્રશ્ન પૂછનાર ધારાસભ્ય ગૃહમાં હાજર રહે તેવી સભ્યોને સૂચના આપવામાં આવે કારણ કે તેમની ગેરહાજરી યોગ્ય નથી