રાજ્ય પોલીસવડા ડોક્ટર કે એલ એન રાવ દ્વારા વારંવાર ગુનાઓ આચારતા નામચીન ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને તેણે ગેરકાયદેસર રીતે તેમજ સરકારી જમીન પર ઉભી કરેલી મિલકતો તોડી પાડવા કરેલા આદેશના પગલે નવનિયુક્ત રેન્જ આઈ જી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસપી ની સૂચનાથી જેતપુરના ઉદ્યોગ નગર પોલીસ મથક ની ટીમે પીજીવીસીએલને સાથે રાખી 20થી પણ વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી મહિલા બુટલેગર નું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું.
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય,ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર,જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા ની સુચના ના પગલે જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડૉ. એમ એમ ઠાકોર, પીએસઆઇ એલ ડી મેતા, સહિતની ટીમે જેતપુરના નવાગઢમાં રહેતી મહિલા બુટલેગર વિલાસ મહિપતભાઈ ચાવડા ની મિલકત અંગે ચકાસણી કરતા સરધારપુર રોડ પર અનઅધિકૃત ૬૦૦ ચોરસ મીટર ગેરકાયદેસર દબાણ કરેલું હોવાનું ધ્યાને આવ્યું હતું.
જેથી પીઆઈ એમ.એમ. ઠાકોરના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,આ કાર્યવાહીમાં પોલીસે મામલતદાર જેતપુર શહેર/ગ્રામ્ય જેતપુર-નવાગઢ નગરપાલિકાની ટીમ અનેની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા આશરે ૬૦૦ મીટરની દબાણ વાળી મિલકત પર બુલડોઝર ફેરવી તેને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી હતી. આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ એમ ઠાકોર, પીએસઆઇ એલ ડી મેતા, અને ઉદ્યોગ નગર પોલીસ મથક ની ટીમ તેમજ પીજીવીસીએલ અને જેતપુર નવાગઢ નગર પાલિકા ની ટીમ જોડાઈ હતી.