જબલપુરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના કોરિડોરમાં આજે ત્યારે અફડાતફડી મચી ગઈ જ્યારે એક પુરુષ તેની પત્નીના ગર્ભપાત પછી જન્મેલા મૃત ગર્ભને લઈને કોર્ટરૂમમાં પ્રવેશ્યો. ગર્ભને ન્યાયાધીશના મંચ પર મૂકીને, તેણે ન્યાય અથવા "ઇચ્છામૃત્યુ" માટે પરવાનગી માંગી.
હકિકતમાં, રેવાના રહેવાસી દયાશંકર પાંડે અગાઉ જબલપુરમાં શુભ મોટર્સમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. તેમનો દાવો છે કે કામ કરતી વખતે તેમને શોરૂમમાં આશરે રૂ.200 કરોડના નાણાકીય કૌભાંડની જાણ થઈ. જ્યારે તેમણે આ કૌભાંડ સામે અવાજ ઉઠાવ્યો અને સત્ય બોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના અને તેમના પરિવાર પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા.
પત્નીનો ગર્ભપાત
ફરિયાદી દયાશંકરનો આરોપ છે કે તાજેતરના હુમલા દરમિયાન તેમની પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે ગર્ભપાત થયો હતો. તેઓ ન્યાય માટે પુરાવા તરીકે આ મૃત ગર્ભને કોર્ટમાં લાવ્યા હતા.
ચૂંટણી લડવા સુરક્ષા માંગી
દયાશંકર પાંડે રાજકારણમાં સક્રિય છે અને 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. તેમનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં તેમના પર ચાર વખત હુમલો થયો છે. પોલીસ અને વહીવટીતંત્ર તરફથી વારંવાર સુરક્ષા માટે વિનંતી કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, ત્યારે તેમણે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી.
પોલીસ કાર્યવાહી
ઘટના પછી તરત જ, હાઈકોર્ટ સુરક્ષા અને ઓમાટી પોલીસ સક્રિય થઈ ગઈ. સીએસપી સોનુ કુર્મીએ જણાવ્યું કે દયાશંકર પાંડે અને તેમની પત્નીને પોલીસ સ્ટેશન લાવીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટની અંદર ગર્ભનું આ રીતે પરિવહન પણ સુરક્ષામાં મોટી ભૂલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
March 10, 2026 04:15 PMહવામાન વિભાગે તોફાની પવન સાથે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
March 10, 2026 04:14 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
